મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સેન્ટર ઓફ એકસેલેન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થીંગની સ્થાપના માટે કરવામાં આવ્યા એમઓયુ
Live TV
-
ગુજરાત સરકારના સાયંસ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલેન્સ,નાસ્કોમ, અને આઇઆઇટી ગાંધીનગર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના સાયંસ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલેન્સ,નાસ્કોમ, અને આઇઆઇટી ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસેલેન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થીંગની સ્થાપના માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા આવા પાંચ સેન્ટર દેશભરમાં શરૂ કરવાના ભાગરૂપે આ પહેલ કરી છે. મુખ્યમંત્રીએ આ સેન્ટરને ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના ગણાવતાં કહ્યું કે, ગુજરાતની યુવાપેઢીમાં રહેલી ઉદ્યોગ સાહસિક ક્ષમતાથી યુવાસ્ટાર્ટઅપને આઇઆઇટી ગાંધીનગર અને નાસ્કોમ જેવી આધુનિક જ્ઞાન સુવિધા સંપન્ન તજજ્ઞતાનો લાભ મળશે.
