ગુજરાત એસટી નિગમમાં નવા જોડાયેલા 1,954 યુવ કન્ડક્ટરોને નિમણૂક પત્રો એનાયત
Live TV
-
એસ.ટી. નિગમની ઓફિશિયલ ઈ-બુકિંગ સાઈટ તેમજ મોબાઈલ બુકિંગ એપ્લિકેશનથી ટિકિટ બુકિંગ પર 4 થી 6 ટકાના ડિસ્કાઉન્ટ અપાશે
ગુજરાત યુનિવર્સિટી ખાતે ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમમાં ,નવા જોડાયેલા 1 હજાર 954 યુવા કન્ડક્ટરોને ,નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. આ સાથે માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા ઇન્ટર સ્ટેટ બસ સંચાલનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે, એસ.ટી. નિગમની ઓફિશિયલ ઈ-બુકિંગ સાઈટ તેમજ ,મોબાઈલ બુકિંગ એપ્લિકેશનથી, ટિકિટ બુકિંગ પર ,4 થી 6 ટકાના ડિસ્કાઉન્ટ અપાશે. આ અંતર્ગત તેમણે પ્રીમિયમ બસ, એ.સી. તથા વોલ્વો બસના ,આવા બુકિંગમાં 6 ટકા તેમજ, નોન પ્રીમિયમ બસ ,ગુર્જર નગરી એક્સપ્રેસ બસના ભાડામાં, 4 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ,પ્રધાનમંત્રીના ડિજીટલ ઇન્ડિયાના સંકલ્પને, પાર પાડવાની દિશામાં ,આ એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ, નવ નિયુક્ત કન્ડક્ટર્સને ,તેમના વર્તન વ્યવહારથી ,પ્રજા માનસમાં એસ.ટી.ની ,શાખ પ્રતિષ્ઠા વધુ ઊંચી લઇ જવા પ્રેરણા આપી હતી
