ગુજરાત સ્થાપના દિવસથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ, મુખ્યમંત્રીની જાહેરાત
Live TV
-
આગામી 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસથી 31 મે સુધી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટવીટ કરીને માહિતી આપી હતી.
1લી મેના રોજ ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા કોસમડી તળાવ ખાતેથી મુખ્યમંત્રી આ અભિયાનનો આરંભ કરશે. અભિયાનના ભાગરુપ સમગ્ર રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી જળ સંચયના વિવિધ કામો હાથ ધરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમ અને જળાશયોનું ડિસોલ્ટીંગ, નર્મદા કેનાલ તથા અન્ય નેટવર્કની સફાઈ, તળાવો-નદીના પ્રવાહને અવરોધતા ઝાડી ઝાંખરા દૂર કરવા, સઘન વૃક્ષારોપણ તથા વરસાદી પાણીના સંગ્રહ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
