ગૃહમંત્રી અમિત શાહે ભગવાન સોમનાથના દ્વારે કરી પૂજા અર્ચના
Live TV
-
22મીના રોજ ગૃહમંત્રી અમદાવાદના કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. મહારાષ્ટ્રનાં નવાપુરામાં ચૂંટણીસભા બાદ અમિત શાહ સોમનાથ પહોંચ્યા હતા. અમિત શાહે પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મંદિરમાં દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો.સોમનાથ મંદીરે અમિત શાહે દર્શન કરીને અભિષેક કર્યો હતો. 21 ઓક્ટોબરે ગુજરાતની 6 બેઠકો પર પેટાચૂંટણી અને બે રાજ્યોમાં મતદાન થવા જઇ રહ્યું છે. આ મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા..અમિત શાહ રાત્રિ રોકાણ સોમનાથના સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે કર્યુ હતુ..આજે ફરી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો..22મીના રોજ ગૃહમંત્રી અમદાવાદના કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે..
