સુરક્ષા, વેપાર, રોકાણ અને આર્થિક ક્ષેત્રે ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સહકારીતાનો સેતુ
Live TV
-
આંદિજાનમાં સરદાર સાહેબની અર્ઘ પ્રતિમાનું કર્યુ અનાવરણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ દિવસના ઊઝબેકિસ્તાનના પ્રવાસે છે. મુખ્યમંત્રી એ અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવ્યો હતો. ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધો આ શૈક્ષણિક સંકુલ-દ્વારા વધુ મજબૂત બનશે. તેવુ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ. ગુજરાતની કંપનીઓ- ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ, ટેક્સ્ટાઇલ સેક્ટરના રોકાણો માટેની વધુ તકો મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. પોલિટિકલ, સિક્યોરિટી, ડિફેન્સ, ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ઇકોનોમી જેવા બહુવિધ ક્ષેત્રોમાં ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહકારિતાનો સેતુ સ્થપાશે. તેમજ ભારત-ઉઝબેકિસ્તાન આર્થિક સહયોગ, સંભાવનાઓના અભ્યાસ માટે જોઇન્ટ વર્કિંગ ગ્રૂપની સ્થાપનાથી દ્વિપક્ષીય વેપાર એક બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય પણ પૂર્ણ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે ગઈકાલે આન્દીજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આન્દીજાન પ્રદેશના ગવર્નર શ્રી શુખરત અબ્દુ રાહમોનોવની ઉપસ્થિતિમાં આ અનાવરણ કરાયુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ આન્દીજાન ગવર્નરશ્રીના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને આજે અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામથી નવી ઊંચાઈ આપી છે
