ગૌ શાળા-પાંજરાપોળ માટે સરકારે કરી સહાયની જાહેરાત
Live TV
-
પશુધનને પોષણક્ષમ આહાર મળી રહે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકારની મહત્વની જાહેરાત. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પશુઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી આ સહાય ગૌશાળાને આપવામાં આવશે.
આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું કે, આગામી 3 મહિના માટે ગૌશાળાઓને પ્રતિદિન પશુ દીઠ 25 રૂપિયાના સહાય અપાશે. પાંજરાપોળના સંચાલકો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે.
