PM મોદીના જન્મદિન નિમિત્તે સોમનાથ મહાદેવ ખાતે માર્કંડેય પૂજા
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમીતે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દીર્ઘાયુષ્ય માટે વિશેષ માર્કંડેય પૂજા યોજવામાં આવી હતી.
જેમાં કોરોના મહામારી માંથી ભારત અને વિશ્વને વહેલી તકે મુક્તિ મળે તે માટે પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ માં પણ ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ પરિવાર ના સંયુક્ત ઉપક્રમે આ ખાસ પૂજા યોજાઈ હતી.
