છેલ્લા 24 કલાકમાં રાજયના 33 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજયના 33 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે સુરતના ઓલપાડ અને ભરુચના અંકલેશ્વરમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ વરસ્યો, તો અમરેલીના ધારી, ગીરના ઝર, મોરઝર, ઝરપરા અને જસાપરામાં તેમજ વાડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજયના અનેક વિસ્તારમાં પાછોતરા વરસાદથી પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. વાડિયા પંથકમાં મગફળી ભરેલા ટ્રેકટર્સને લઈ જતા ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી. હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી. આજે ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
