છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 298 કેસ નોંધાયા, આજે કુલ 34,440 વ્યક્તિઓને રસી આપવામાં આવી
Live TV
-
ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 298 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મૃત્યુ થયેલ છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4388એ પહોંચ્યો છે. જ્યારે 406 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 97.05 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,51,904 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 63, સુરત કોર્પોરેશન 35, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 32, વડોદરા 12, કચ્છ 02, ગાંધીનગર 05, સુરત 07, રાજકોટ 09, અમરેલી 07, ખેડા 04, ભરૂચ 04, પંચમહાલ 01, ગાંધીનગર કોર્પોરેશન 06, દાહોદ 03, જામનગર કોર્પોરેશન 03, બનાસકાંઠા 01, જુનાગઢ કોર્પોરેશન 04, સાબરકાંઠા 02, મોરબી 06, આણંદ 03, નર્મદા 03, જુનાગઢ 06, ગીર સોમનાથ 04, અમદાવાદ 01, મહીસાગર 03, પોરબંદર 01 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,54,109 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 3341 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 30 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 3311 સ્ટેબલ છે.
