છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 38 નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે. તો 90 દર્દી સાજા થયા છે. જ્યારે સૌથી સારી વાત એ છે કે, રાજ્યમાં આજે એક પણ મૃત્યુ નથી થયું. કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો, સુરતમાં 9, અમદાવાદમાં 6, રાજકોટમાં 6, વડોદરામાં 3, જૂનાગઢમાં 2, ગીર સોમનાથમાં 2, જામનગરમાં 1, ભાવનગરમાં 1, આણંદમાં 1, બનાસકાંઠામાં 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ 86 હજાર 712 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 2 કરોડ 87 લાખ 54 હજાર 257 લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 13 હજાર 673 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 98.70 ટકા થયો છે. અત્યારે રાજ્યમાં કોરોનાના 637 એક્ટિવ કેસ છે.
