જગત મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: મધ્યરાત્રિએ થશે કાન્હાનો જન્મોત્સવ
Live TV
-
જગત મંદિર: આવતીકાલે સોમવારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગત મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
મધ્યરાત્રિએ 12:00 કલાકે કાન્હાનો જન્મોત્સવ થશે અને ભવ્ય ઉત્સવ આરતી યોજાશે. આ પ્રસંગે દૂર-દૂરથી આવતા ભક્તોને મંગલા આરતી બાદ ભગવાનના ખુલ્લા સ્નાન અને અભિષેકનો લાભ મળશે.ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા બેરિકેટિંગ સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જન્મોત્સવના દિવસે મંદિર રાત્રે 1:30 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે. વારદાર પૂજારી પ્રણવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીની સવારે મંગલા આરતી બાદ વિશેષ પૂજન-અર્ચન સાથે મહોત્સવની ઉજવણીનો ભક્તો લ્હાવો લેશે.
