જગત મંદિરે દ્વારિકા ખાતે ભગવાનને પતંગ ચરખીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો
Live TV
-
આજે પવિત્ર મકર સંક્રાતિ દિવસે દ્વારકામાં દાન, જપ, દર્શનનું મહત્વ હોય છે. મકરસંક્રાતિ પર્વે દ્વારિકા ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે. જગત મંદિરે ભગવાનને પતંગ ચરખીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. નગરના વિવિધ જૂથો અને તીર્થયાત્રીઓ દ્વારા દાન પુણ્ય થયા હતા. ગાય માતાને પ્રોટીન યુકત લાડવા અને લીલું ઘાસ ખવડાવવામાં આવી રહ્યા છે. દ્વારકાના રિદ્ધિ સિદ્ધિ યુવા જૂથ દ્વારા આખીરાત પ્રોટીન યુકત લાડવા બનાવીને સવારે ગલી ગલીમાં પહોંચીને ગાયોને લાડવા નિર્યા હતા.
