Skip to main content
Settings Settings for Dark

જામકંડોરણા - પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

Live TV

X
  • જામકંડોરણા ખાતે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવ દેહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

    ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાનું ગઈકાલે અવસાન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને જામકંડોરણા કન્યા શાળા ખાતે સવારથી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના અગ્રણીઓ તેમજ સમગ્ર પંથકના રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અને વ્યવસાયના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. જામકંડોરણા ખાતે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવ દેહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતી. તેમણે વધઉમાં ઉમેર્યું હતુ ંકે, તેમના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ મોટી ખોટ પડશે. તો વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply