જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યના ઊર્જામંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ
Live TV
-
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં સત્રની પહેલી સામાન્ય સભા યોજાઇ હતી.જેમાં ઊર્જા મંત્રીએ ઉદ્યોગકારોને આંતર રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવા અને નવા ઉદ્યોગો શરૂ કરવા ઇચ્છા લોકોને આગળ આવવા આહવાન કર્યું હતું. ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે,ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના મારફતે હાલ 5,000 ગામોને અને 2022 સુધીમાં બાકીના 13 હજાર ગામોને દિવસે પણ વીજળી મળતી થશે. જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો બહોળો વિકાસ થયો છે ત્યારે સરકાર દ્વારા જામનગરના નાના ઉદ્યોગકારોને પણ આગળ આવવા ઊર્જામંત્રીએ અપીલ કરી હતી.
