જામનગરના વોર્ડ 2માં ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી 30 લાખ રૂ.ના ખર્ચે 'મહારાણા પ્રતાપ' લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત
Live TV
-
જામનગરના વોર્ડ 2માં ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી 30 લાખરૂ.ના ખર્ચે 'મહારાણા પ્રતાપ' લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત
જામનગરના વોર્ડ નંબર 2માં સ્થાનિક ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ₹30 લાખના ખર્ચે એક ભવ્ય લાઇબ્રેરી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ લાઇબ્રેરીનું નામ 'મહારાણા પ્રતાપ' રાખવામાં આવ્યું છે. ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ નવી લાઇબ્રેરીમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. લાઇબ્રેરીમાં સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી પુસ્તકો અને વાંચન રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, સિનિયર સિટીઝન્સ માટે પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરાશે, જેથી તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચનનો આનંદ લઈ શકે. આ પહેલથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને નાગરિકોને શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ માટે એક ઉત્તમ સ્થળ મળશે.
