ડીસાઃ ગૌશાળાના સંચાલકોએ ઘાસચારાની તંગીના પગલે કરી રજૂઆત
Live TV
-
જેના પગલે સરકાર દ્વારા ખુલ્લા બજારમાં જે ઘાસચારો 10 રૂપિયે કિલોના ભાવે મળે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગોશાળાના સંચાલકોએ ઘાસચારાની તંગીના પગલે જિલ્લા વહીવટી તંત્રને રજુઆત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા ખુલ્લા બજારમાં જે ઘાસચારો 10 રૂપિયે કિલોના ભાવે મળે છે. તેને માત્ર 2 રૂપિયે આપવા કટિબદ્ધ છે.
આ સાથે જ્યાં પાણીની તંગી હશે, ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. જિલ્લા કલેકટર સંદીપ સાંગલે એ આ મામલે જણાવ્યું હતું. કે જિલ્લામાં ગૉશાળા નું સંચાલન કરતા મહાજનો ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે,તેઓ ને પશુધનની જાળવણીમાં કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે,સાથે પશુપાલકો પશુઓને જાહેરમાંના છોડવા માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જો તેનું ઉલ્લખન થશે તો નિયમ મુજબ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
