થાનગઢમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સૂર્યચોક થી ધોળેશ્વર સુધીના RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સૂર્યચોક થી ધોળેશ્વર સુધીના RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સૂર્યચોક થી ધોળેશ્વર સુધીના RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડ મંજુર કરાતાં સીરામીક ઉદ્યોગકારોએ સરકારનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીના ડોડીયા, સીરામીક એસોસિએશનના પ્રમુખ સુરેશ સોમપુરા તેમજ સીરામીક ઉદ્યોગકારો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થાનગઢના ધોળેશ્વર થી સૂર્યચોક સુધી અંદાજે 5 કરોડના ખર્ચે RCC રોડ બનશે. આ રોડ બનવાથી સીરામીક ઉદ્યોગના વેપારીઓ તેમજ શહેરના લોકોને ઘણો ફાયદો થશે.
