દક્ષિણ ગુજરાતમાં ચક્રવાત નિસર્ગની અસર સામાન્ય વર્તાશે : હવામાન વિભાગ
Live TV
-
સાયક્લોનિક સ્ટોર્મ 'નિસર્ગ' તીવ્ર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ચુક્યુ છે. હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે 'નિસર્ગ' વાવાઝોડાની અસરના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે.જ્યારે સૌરાષ્ટના દરિયાકાંઠે ચિંતાનો કોઈ વિષય નથી.હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે જણાવ્યું હતું કે ચક્રવાત નિસર્ગની વધારે અસર મહારાષ્ટ્રમાં થશે.અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં તેની સામાન્ય અસર વર્તાશે.સાથે જ દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ચક્રવાતની થોડી અસર જોવા મળી શકે છે.જ્યારે મધ્યગુજરાતના નર્મદા અને છોટાઉદેપુર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.
