દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન યોજનાનો પ્રારંભ
Live TV
-
યોજના હેઠળ એક પરિવાર દીઠ પાંચ લાખ સુધીનો વીમો મળી શકશે. અગાઉ જે સંજીવની યોજના હતી. તેમા પરિવારના પાંચ લોકોને જ લાભ મળતો હતો.
દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનુ ફસ્ટ ગોલ્ડન રેકોર્ડ કાર્ડનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ લોકોને 6મહિના સુધી મળશે. આ યોજના હેઠળ એક પરિવાર દીઠ પાંચ લાખ સુધીનો વીમો મળી શકશે. અગાઉ જે સંજીવની યોજના હતી. તેમા પરિવારના પાંચ લોકોને જ લાભ મળતો હતો. ત્યારે હાલની આયુષ્યમાન ભારત યોજનામાં પરિવારના બધા સભ્યો લાભ મેળવવા પાત્ર હશે. અને જેમની આવક મર્યાદા એક લાખથી નીચે હશે તેમનું પ્રીમિયમ પ્રસાશન ભરાશે. અને જેમની આવક એક લાખથી વધુ હશે. તેમને 2020 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરી આ યોજનાનો લાભ લઇ શકશે. આ અવસરે આરોગ્ય સચિવ એસ.એસ.યાદવ,આરોગ્ય નિર્દેશક ડો.વી.કે.દાસ તથા હોસ્પિટલનો સ્ટાફ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
