દિવાળી નિમિત્તે મોરબીમાં રાહત દરે ફટાકડાનું વેચાણ શરૂ
Live TV
-
દિવાળી નિમિત્તે મોરબીની ગૌશાળા અને પાંજરાપોળના લાભાર્થે રાહત દરે ફટાકડા વેચાણ શરુ કરવામાં આવ્યુ છે. ફટાકડા વેચાણ થકી થઇ રહેલી આવકનો ઉપયોય પાંજરાપોળ અને ગૌશાળામાં રહેલા 4500 પશુઓના નિર્વાહ માટે થાય છે.
દર વર્ષે લાગતા આ ફટાકડાના સ્ટોલની મોરબીવાસીઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. મોરબીના લોકો ગૌશાળા અને પાંજરાપોળના લાભાર્થે વેચાતા ફટાકડાની ખરીદી કરી પરોક્ષ રીતે સેવાનો લાભ મેળવે છે.
મોરબી પાંજરાપોળનાં ટ્રસ્ટી ગણ, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ સમાજ સેવકો દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે.
