દ્વારકાઃ 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર યોજાશે સિરેશ્વર મેળો
Live TV
-
દ્વારકાઃ 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર યોજાશે સિરેશ્વર મેળો
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પાસે આવેલા શિરેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં વર્ષોથી પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. જેને સિરેશ્વર મેળો તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકા જિલ્લા ઉપરાંત જામનગર અને પોરબંદર જિલ્લાના મોટી માત્રામાં લોકો મેળાની મોજ માણે છે. આ લોકમેળો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને રાઈડસ, રમકડા તેમજ ખાણી પીણીના સ્ટોલ માટેના પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી. આ મેળામાં રાઇડ્સ માટે સલામતી ભાગ રૂપે સરકાર દ્વારા કરાયેલ આદેશ મુજબ સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
