દ્વારકાના પ્રખ્યાત જ્યોતિષીએ સારું ચોમાસુ બેસવાની કરી આગાહી
Live TV
-
74 વર્ષીય સીવુભાઈ પંડ્યા જ્યોતિષ શાસ્ત્ર વિશે ગહન અને તલ સ્પર્શી જ્ઞાન ધરાવે છે.
યાત્રાધામ દ્વારકાના પ્રખ્યાત જ્યોતિષ એવા જયકુમાર પંડ્યા ઉર્ફે સિવુભાઇ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કૃષિ પુત્રો માટે આનંદના સમાચાર જણાવતા દૂરદર્શન સાથે ખાસ વાત કરી છે. આ વખત ગુજરાત તથા દેશભરમાં ચોમાસુ સારૂ જવાના એંધાણ જ્યોતિષ દ્વારા અપાયા છે.
ભારત ખેડૂત પ્રધાન દેશ છે એવામાં સારું ચોમાસું બેસવાના એંધાણથી ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી જાય છે. ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષ સારૂ જવાના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે. આગામી 22 જુલાઈથી મેઘરાજાની કૃપા દ્રષ્ટિ દેખાશે. ચોથી ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી વરસાદનો ઉત્તમ યોગ દર્શાવવામાં આવ્યો છે. 74 વર્ષીય સીવુભાઈ પંડ્યા જ્યોતિષ શાસ્ત્ર વિશે ગહન અને તલ સ્પર્શી જ્ઞાન ધરાવે છે.
