દ્વારકા નજીકના ચંદ્રભાગા દરિયાકાંઠેથી 34 કરોડના ચરસના પેકેટ મળ્યા
Live TV
-
દ્વારકા નજીકના દરિયાકાંઠેથી 34 કરોડની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ અંગે dysp સાગર રાઠોડે જણાવ્યું હતું કે આ જથ્થો પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રભાગા વિસ્તારમાંથી મળી આવ્યો છે. સતત આ રીતે મળતા જથ્થાને પગલે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દરિયાઈ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે દ્વારકામાંથી ગત શુક્રવારે રૂ.16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિન વારસી હાલતમાં મળી આવ્યો હતો.
