ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈએ જ યોજાશે: શિક્ષણમંત્રી
Live TV
-
રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે અને તે માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તે અંગેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે ધોરણ 12 સાયન્સ બાદ JEE અને NEET ની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાશે. આ તમામ પરીક્ષાની તારીખો ક્લેશ ના થાય તે માટે હમણાં જાહેરાત કરવામાં આવી નથી. 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું છે.
