ધોરાજીમાં મહેસૂલ ભવનનું ભૂમિપૂજન: એક જ ભવનમાં થશે તમામ મહેસૂલી સરકારી કામો
Live TV
-
ધોરાજીમાં 9.35 કરોડના ખર્ચે મહેસૂલ ભવન બનાવાશે.. આ માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મંજૂરી આપતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલના વરદ હસ્તે ધોરાજીની ભગવત સિંહજી હાઈસ્કૂલ ખાતે મહેસૂલ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અહીં આ ભવનનું નિર્માણ થતાં ડેપ્યુટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી, સીટી સર્વે કચેરી , વગેરે વિવિધ કચેરીઓ આ ભવનની અંદર એક જ સ્થાને મળશે. જેથી લોકોને અન્ય કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે.. અને એક જ ભવનની અંદર તમામ મહેસૂલી સરકારી કામો થઈ શકશે...
