ધોળકા વટામણ માર્ગના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ કામનું ખાતમૂહુર્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા
Live TV
-
38 જેટલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ના બાંધકામના પ્રોજેક્ટ કાર્યરત-મનસુખભાઈ માંડવિયા
ધોળકા વટામણ માર્ગના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ કામનું ખાતમૂહુર્ત કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ કર્યું હતું.આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે. આઝાદી મળ્યા પછી 2014 સુધી દેશમાં 92 હજાર કિલોમીટર નેશનલ હાઇવે હતા.

વર્તમાન સરકાર દ્વારા બીજા 35,000 કિલોમીટર માર્ગોનું નિર્માણ કરેલ છે. તથા બીજા 53,500 કિલોમીટર રાજમાર્ગોનું કામ દેશમાં ચાલી રહ્યું છે.ગુજરાતમાં કુલ 5054 કિ.મી. ધોરીમાર્ગો આવેલા છે. જુદાજુદા 38 જેટલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ના બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા 14 હજાર 488 કરોડ જેટલો છે. આમ દેશભરમાં સર્વગ્રાહી નિર્માણ યોજના ચાલી રહી છે.

