નર્મદાના નાંદોદ તાલુકાની 66 ગ્રામ પંચાયતમાંથી માટી એકત્ર કરવામાં આવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 'મેરી મિટ્ટી મેરા દેશ' અભિયાનને વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું. ગુજરાતમાં 'મારી માટી મારો દેશ' અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાંથી માટી એકત્ર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં ગામે ગામ માટી એકત્ર કરવાના કાર્યક્રમો આવ્યા હતા. આ હેઠળ નાંદોદ તાલુકાની 66 ગ્રામ પંચાયતમાંથી દરેક ગામમાં જઈને આજે ગ્રામજનો અને સરપંચો દ્વારા માટી એકત્ર કરવામાં આવી હતી. રાજપીપળા અવધૂત મંદિર ખાતેથી એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદામાંથી 66 અમૃત કળશ સાથે પદયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં 66 ગામોની માટી એકત્ર કરવામાં આવી છે. આ એકત્ર કરેલી માટીને દિલ્હી મોકલવામાં આવશે
