નર્મદા ડેમની સપાટીમાં વધારો, જળસપાટી 132.5 મીટરે પહોંચી
Live TV
-
રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે.ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.ત્યારે ડેમમાં 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નર્મદા નદીમાં પુરની સ્થિતિ બનેલી છે.
રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે.ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.ત્યારે ડેમમાં 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નર્મદા નદીમાં પુરની સ્થિતિ બનેલી છે.નર્મદા ડેમના ઉપરવાસ ઓમકારેશ્વર ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની જળ સપાટી 132.5 મીટરે પહોંચી ગઈ છે.તો નદીમાં પુરને કારણે અકતેશ્વર પુલના પિલરનું ધોવાણ થઈ ગયું છે.આ ધોવાણને કારણે તિલકવાડા, દેવલિયા, છોટા ઉદેપુરથી રાજપીપળા જતા રસ્તાને ડાયવર્ટ કરાયા છે.અને નવા ગોરા પુલ તરફથી વાહનોને જવા માટે મંજૂરી અપાઈ છે.
