નર્મદા ડેમમાં 2704 ક્યૂસેક પાણીની આવક, સપાટી 104.67 મીટર
Live TV
-
નર્મદા નદીને જીવંત રાખવા માટે જે 615 ક્યુસેક પાણી છે જે 1500 કરવામાં આવે : ગુજરાત સરકાર
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના વીજ મથક ચલાવાતા પાણી ડિસ્ચાર્જ થઇ નર્મદા ડેમ પર આવતા ડેમ પર પાણીની આવક 2704 ક્યુસેક થઈ છે. હાલમાં ડેમની સપાટી 104.67 મીટર થઈ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં માંગ કરી હતી કે, નર્મદા નદીને જીવંત રાખવા માટે જે 615 ક્યુસેક પાણી છે જે 1500 કરવામાં આવે. જેથી નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં નદી કાંઠા ભરૂચ જિલ્લા તેમજ ચાણોદ કરનાળી વગેરે વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ દૂર થશે. પરંતું જે હજુ યથાવત છે . જયારે માંગ હજુ યથાવત રાખવામાં આવી છે. સૂત્રો દ્વારા મળેલી વિગત અનુસાર નર્મદા ડેમના ડેડ સ્ટોરેજના પાણી માંથી IBPT દ્વારા પણ 3127 ક્યુસેક પાણી લેવાય રહ્યું છે. જેમાંથી 2470 ક્યુસેક પાણી મુખ્ય કેનાલ મારફતે પાણી રાજ્યભરમાં મોકલવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 6 દિવસમાં 14 સેન્ટિમીટર ઘટી છે. નર્મદા ડેમમાં પાણીના ડેડ સ્ટોરેજનો જથ્થો 3017.98 મિલિયન ક્યુબીક મીટર છે. જયારે નર્મદા ગોડબોલે ગેટ માંથી પાણી છોડવાની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી આપે છે.