નર્મદા ડેમ છલકાતાં ખેડૂતો માટે 6000 ક્યુસેક પાણી છોડાયું
Live TV
-
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના ડેમમાં છલોછલ પાણી જોવા મળી રહ્યું છે. સપાટી 121 મીટરને પાર થતાં રાજ્યનું જળસંકટ દૂર થયું છે. પાણીની આવક થતા ખેડૂતોને સિંચાઇ માટે મુખ્ય કેનાલમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં વધારો થયો છે. ઉપરવાસમાંથી 30321 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી છે. છેલ્લા 12 કલાક માં ડેમની સપાટીમાં 23 સેમી નો વધારો થયો છે. નર્મદા ડેમમાં 1300 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
