નવરાત્રિ પર્વની જેમ રાજ્ય સરકારે નવ દિવસના સુશાસન પર્વમાં વિકાસનું અનુષ્ઠાન કર્યું છે: વિધાનસભાના અધ્યક્ષ
Live TV
-
બારડોલી ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને 'શહેરી જનસુખાકારી દિવસ' કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના અધ્યક્ષએ જણાવ્યું કે, પવિત્ર નવરાત્રિ પર્વની જેમ રાજ્ય સરકારે નવ દિવસના સુશાસન પર્વમાં વિકાસનું અનુષ્ઠાન કર્યું છે. બારડોલી, તરસાડી, કડોદરા અને માંડવી નગરપાલિકાઓને રૂ.૪.૨૫ કરોડના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ-ગાંધીનગર અનુદાનિત ચેકો એનાયત કરવામાં આવ્યા. ‘શહેરી જનસુખાકારી દિવસે’ બારડોલી, તરસાડી અને કડોદરા નગરપાલિકાના રૂ.૩૩.૪૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
