Skip to main content
Settings Settings for Dark

નાગરિકોને ઘર આંગણે જ પીવાનું પાણી પૂરું પાડવા સરકાર કટિબદ્ધ: રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Live TV

X
  • જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ પીવાનું શુધ્ધ પાણી તેમજ સિંચાઈ માટેની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે.

    આજે વિધાનસભા ખાતે જામનગરના જોધપુર તાલુકાના જણાવારી ગામે વર્તુનદી ડેમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, આ ડેમની યોજના વર્ષ 1998માં મંજૂર કરાઈ હતી પરંતુ સ્થાનિક કક્ષાએ ડેમ બાંધવા માટે વારંવાર વખતો વખત વિરોધ થતાં આ યોજના હજુ સુધી શરૂ કરાઈ નથી. રાજ્ય સરકારે વારંવાર સ્થાનિક કક્ષાએ ખેડૂતો સાથે સંકલન કરવા પ્રયાસો કર્યા છતાંય ઉકેલ આવ્યો નથી અને હજુયે અમારા પ્રયાસો ચાલુ છે. 

    મંત્રી મુકેશભાઇએ જણાવ્યું હતું કે આ યોજના અમે રદ કરી નથી પરંતુ 98 સર્વે નંબરમાં અસરગ્રસ્ત- ખેડૂતો ખાતેદારો જમીન સંપાદન અર્થે સહમત થયા બાદ જમીન સંપાદન થશે ત્યારે સત્વરે આ યોજના આગામી સમયમાં હાથ ધરવાનું અમારું આયોજન છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply