નિસર્ગ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠે NDRFની ટીમો કરાઈ તૈનાત.
Live TV
-
નિસર્ગ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ-8 દરિયાકાંઠાના જિલ્લામાંથી 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા-દહેજ બંદરે લગાવાયું 2 નંબરનું સિગ્નલ-માછીમારી માટે ગયેલા માછીમારોને બોલાવાયા પરત.દરિયા કાંઠે NDRFની ટીમો કરાઈ તૈનાત. નિસર્ગ વાવાઝોડાને લઇ નવસારી જિલ્લાના 42 ગામો એલર્ટ પર છે. જેમાં વાવાઝોડાની અસરને લઇ આ ગામોને વધુ અસર થાય એવા જિલ્લાના 7 જેટલા ગામોના 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. બપોર બાદ વાવાઝોડાની સાથે ભારે પવન અને વરસાદ પડવાની આશંકાના પગલે તંત્ર સાબદુ બન્યુ છે.
