નીતિનભાઇ પટેલની ટિપ્પણીને લઇને જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન
Live TV
-
વિધ્ન સંતોષી લોકો દ્વારા પાયાવિહોણી અને સત્યથી તદ્દન વેગળી વાતો ચોક્કસ કારણસર ફેલાવવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતીનપટેલ માટે કેટલાક લોકો દ્વારા મીડીયામાં કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ અંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે વિધ્ન સંતોષી લોકો દ્વારા પાયાવિહોણી અને સત્યથી તદ્દન વેગળી વાતો ચોક્કસ કારણસર ફેલાવવામાં આવી રહી છે. નીતિનભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ આગેવાન છે. અને નાયબ મુખ્યમંત્રી તરીકે સતત પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે. તેમજ જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો પણ પાર્ટીની સાથે જ છે. આ સાથે નિતીન પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો દ્વારા મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશિયલ મિડીયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મૂકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરિકોને આવી કોઇ અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે.
