પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન
Live TV
-
આવતીકાલે બપોરે એક વાગ્યે અંતિમયાત્રા નીકળશે
ખેડૂત નેતા અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું આજરોજ અવસાન થયું છે, તેઓ લાંબા સમયથી બિમાર હતા. પાટીદાર સમાજના સૌથી લોકપ્રિય નેતા વિઠ્ઠલભાઈના પુત્ર જયેશભાઈ રાદડિયા ગુજરાત રાજ્ય કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી છે. એ.પી.એમ.સી. ખેતી, સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક સામાજિક કાર્ય સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય અને સાંસદ તરીકે કામગીરી કરી હતી. જામકંડોરણા કન્યા શાળા ખાતે આવતીકાલે સવારે સાતથી 12 તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે એક વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે અને સહકાર કેળવણી તેમજ રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશાં યાદ રહેશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને વિઠ્ઠલ રાદડીયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.