પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ‘રાણીની વાવ : જલમંદિર’નો ટેબ્લો ગુજરાત તરફથી પ્રસ્તુત થશે
Live TV
-
નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રાણ કી વાવની પ્રતિકૃતિ નો ટેબ્લો ગુજરાત તરફથી પ્રસ્તુત થશે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલી રાણીની વાવ જળ સંચયની પ્રાચીન પરંપરાનું બેનમૂન ઉદાહરણ હોવાથી દેશ સમક્ષ તેની રજૂઆત માટે પસંદગી કરાઇ છે. છે. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાંમાટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકાયું છે. શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે. વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપેદર્શાવવામાં આવ્યા છે.. પાટણ હાથસાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ હોવાથી ટેબ્લોની બંને બાજુએહાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે.
