સુરતની રઘુવીર માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં: સુડાના ચેરમેન બંછાનિધી પાનીએ નિરીક્ષણ કર્યું
Live TV
-
સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ હતી. પાલિકા કમિશનર અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન બંછાનિધી પાની રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સુડા ભવન ખાતે બિલ્ડર, સુડાના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી. જેમાં માર્કેટના બિલ્ડીંગના એલિવેશન અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી હતી.જે અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા પહેલાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ બિલ્ડીંગને સીલ મારવામાં આવશે અને ત્યારબાદ સ્ટેબિલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જો એમાં કોઈ ત્રુટિ જણાશે તો ડિમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
