પ્રધાનમંત્રી આજે 'ગ્રીન ઇનિશિએટિવ' હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ પ્રકૃતિના સંરક્ષણ માટે 'ગ્રીન ઇનિશિએટિવ' હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં 30 ઇ-બસ, 210 પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ઉપરાંતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે રૂપિયા 81 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સહકાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. 196 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરાયું હતું.
એકતાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. રૂપિયા 7.5 કરોડના ખર્ચે બનાવેલા કમલમ પાર્કનું લોકાર્પણ પણ કર્યું હતું.
