પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની ગરીબો માટે આશીર્વાદરૂપ
Live TV
-
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન 45,331 લાભાર્થીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.
આ માટે સરકાર દ્વારા રૂ. 89.70 લાખની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે.જૂન 2026 સુધીમાં જિલ્લામાં NFSA રેશનકાર્ડ ધરાવતા 7.87 લાખથી વધુ નાગરિકોને આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત, 70 વર્ષથી વધુ વયના 48,457 વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત–આયુષ્માન વય વંદના યોજના હેઠળ આવરી લેવાયા છે.આ યોજના હેઠળ આશા બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને પણ આરોગ્ય સુરક્ષા આપવામાં આવી છે.
