પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રી મોદી રૂ. 52 હજાર 25 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં આરોગ્યસ રોડ રસ્તા, રેલ્વે, ઉર્જા, પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને પર્યટન સ્થળો જેવા વિવિધ પરિયોજનાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓખા થી મુખ્ય ભૂમિ અને બેડ દ્વારકા સુધી બનાવેલ સુદર્શન બ્રીજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રીજ દેશનો સૌથી લાંબો બ્રીજ કહેવામાં આવે છે. આ બ્રીજને કારણે પ્રવાસીઓને બેડ દ્વારકા પહોચવા માટે બોટ દ્વારા હવે નહિ જવું પડે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વાડીનારમાં પાઇપલાઇન પરિયોજનાનું લોકાર્પણ કરશે. આ સાથે ત્રણ રેલ્વે લાઇન વિર્ધુતીકરણ પરિયોજનાનું રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત ધોરાજી થી જામકંડોરણા રોડ માર્ગ, જામનગરમાં ક્ષેત્રીય વિજ્ઞાન સહિત વિવિધ પરિયોજનાનું શિલાન્યાસ કરશે. સાંજે પ્રધાનમંત્રી રાજકોટ જવા રવાના થશે. રાજકોટ, બંઠેગા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી સહિત પાંચ એઇમ્સ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં રૂપિયા 48 હજાર કરોડથી વધુ પરિયોજનાનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. આ સાથે રાજકોટ સહિત પાંચ અન્ય એઇમ્સ હોસ્પિટલનો શુભારંભ કરાવી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ નવી એઇમ્સ હોસ્પિટલમાં 4 હજાર 40 બેડ અને 500 સીટોનો સમાવેશ કરાયો છે. આ નવી આરોગ્ય સેવાથી કરોડો લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે. રાજકોટ સહિત બઠિંગા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરીમાં પણ એઇમ્સ હોસ્પિટલની સેવા શરૂ થશે.