પ્રધાનમંત્રી મોદીએ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ 'સુદર્શન સેતુ' રાષ્ટ્રને કર્યો સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ 'સુદર્શન સેતુ' રાષ્ટ્રને કર્યો સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસે રવિવારે સવારે બેટ દ્વારકા મંદિર પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કર્યા બાદ નવનિર્મિત સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. અંદાજે રૂ. 980 કરોડના ખર્ચે બનેલ આ કેબલ બ્રિજ ઓખાની મુખ્ય ભૂમિને બેટ દ્વારકા ટાપુ સાથે જોડે છે. તેની લંબાઈ 2.32 કિલોમીટર છે.
પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં આરોગ્ય, માર્ગ, રેલવે, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું જેના માટે તેમણે 7 ઓક્ટોબર, 2017ના રોજ ઓખા-બેટ દ્વારકા બ્રિજનું ભૂમિપૂજન કર્યું હતું. પુલ પરથી તેમણે સમુદ્રનો નજારો જોયો અને બોટ પરના લોકોનું હાથ લહેરાવીને અભિવાદન કર્યું હતું. અંદાજે 978.93 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો પુલ બનવાથી ઓખા અને બેટ દ્વારકાનો માર્ગ સરળ બનશે. અત્યાર સુધી ભક્તો દ્વારકાધીશના નિવાસસ્થાન બેટ દ્વારકા જવા માટે હોડીનો સહારો લે છે. આ બ્રિજ પર દોડતા વાહનોને કારણે લોકોનો સમય બચશે એટલું જ નહીં, સમુદ્રના જોખમોથી પણ લોકોને બચાવી શકાશે. લોકોને ઓખાથી બેટ દ્વારકા જવા માટે બોટ મારફત 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘટીને 5 થી 10 મિનિટ થશે. આ ફોર લેન બ્રિજ 900 મીટર લાંબા સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર આધારિત છે.