પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી સપ્ટેમ્બરના રોજ 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
સહકારી સંઘવાદની ભાવનામાં, સમગ્ર દેશમાંથી વિજ્ઞાન અને ટેકનોલોજી માટે મંત્રીઓ અને સચિવોની સહભાગિતા જોવા માટે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રકારની પ્રથમ કોન્ક્લેવનો હેતુ એક મજબૂત વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધન કરશે.
દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને અનુરૂપ આ કોન્ક્લેવ, સહકારી સંઘવાદની ભાવનામાં - મજબૂત વિજ્ઞાન, તકનીક અને નવીનતા (Science, Technolocy & Innovation) સમગ્ર દેશમાં ઇકોસિસ્ટમ કેન્દ્ર-રાજ્ય સંકલન અને સહયોગ મિકેનિઝમને મજબૂત કરશે.
આવનારી 10-11 સપ્ટેમ્બર 2022ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં STI વિઝન 2047 સહિત નીચેના વિષયો પરના સત્રોનો સમાવેશ થશે; રાજ્યોમાં STI માટે ભાવિ વૃદ્ધિના માર્ગો અને વિઝન, આરોગ્ય - બધા માટે ડિજિટલ આરોગ્ય સંભાળ, 2030 સુધીમાં R&Dમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ બમણું કરવું, કૃષિ - ખેડૂતોની આવક સુધારવા માટે તકનીકી હસ્તક્ષેપ, એનર્જી- હાઈડ્રોજન મિશનમાં S&Tની ભૂમિકા સહિત બધા માટે સ્વચ્છ ઊર્જા, પાણી - પીવાલાયક પીવાના પાણીના ઉત્પાદન માટે નવીનતા, ડીપ ઓશન મિશન અને દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ દેશના આવનારા અર્થતંત્ર માટેની સુસંગતતા હશે.
આ કોન્ક્લેવમાં ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T), રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો, ઉદ્યોગ અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો, NGO, યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓની સહભાગિતા જોવા મળશે.