બનાસકાંઠાના ખેડૂતનું ધાનુકા ઇનોવેટિવ એગ્રીકલ્ટર એવોર્ડનું સન્માન
Live TV
-
ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે ધાનુકા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે ધાનુકા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં બનાસકાંઠા વડગામ તાલુકાના ડાલવાણા ગામના કાંતિભાઈ કુબેરભાઈ પરમારને તેલીબિયાં પાક એવા દિવેલા ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતી કરનાર તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમને ભારત સરકારના કૃષિરાજ્યમંત્રી કૈલાસભાઇ ચૌધરી અને ધનુંકા કંપનીના એમડી એમ.કે.ધનુંકાના હસ્તે આપવામાં આવ્યું હતુ.
