બનાસકાંઠાના પાલનપુર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાશે
Live TV
-
બનાસકાંઠા વનવિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોલેજના વિધાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોની મદદથી પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠા બનાવવા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી
બનાસકાંઠાના પાલનપુર ખાતે 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થશે. જેના ભાગરૂપે દરેક સરકારી વિભાગો દ્વારા 7 થી 25મી જાન્યુઆરી સુધી દરરોજ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત બનાસકાંઠા વનવિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોલેજના વિધાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોની મદદથી પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠા બનાવવા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી.જેમાં બાલારામ ખાતે રસ્તાઓ તેમજ જંગલ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક એકત્રીકરણ કરવાનું, બાલારામ નદી અને ધારમાતા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી.જિલ્લા મથક પાલનપુર ખાતે સ્વચ્છતા જાળવવા તેમજ વન્ય જીવો અને જંગલોના રક્ષણ માટે બેનર્સ સાથે રેલી પણ યોજાઈ હતી. આ પ્રસંગે વનવિભાગના અધિકારી, કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
