બનાસકાંઠા, જૂનાગઢ સહિત જુદા-જુદા સ્થળોએ કોવિડ રથને અપાઈ લીલીઝંડી
Live TV
-
કોવિડ રથ ગામડાઓમાં ફરી ભવાઈ જેવા મનોરંજક કાર્યક્રમ થકી કોરોના અંગે લોકોને કરશે જાગૃત
બનાસકાંઠાના પાલનપુરમાં ખાતે જિલ્લા કલેક્ટરે કોવિડ રથને લીલીઝંડી આપી હતી. આ સમયે કચ્છ અને સુરતના સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, આ રથ ગામડાઓમાં ફરશે અને ભવાઈ જેવા મનોરંજક કાર્યક્રમ થકી કોરોના અંગે લોકોને જાગૃત કરશે.
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સાંસદ રાજેશ ચુડાસમાએ કોવિડ વિજય રથને પ્રસ્થાન કરાવ્યું હતું. 44 દિવસ સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં ફરી આ રથ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન અંગે લોકોને માર્ગદર્શન આપશે.આ સમયે કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર સૌરવ પારગી સહિત આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.
