બોટાદ શહેરના કુષ્ણસાગર તળાવમાં છોડાયું પાણી
Live TV
-
બોટાદ શહેરના કુષ્ણસાગર તળાવમાં પાણી છોડવામાં આવ્યું.પાણી છોડાતા શહેરના ખેડૂતો તેમજ આજુબાજુ વિસ્તારના ખેડૂતોને સિચાઈનું પાણી મળી રહેશે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિચાઈનું પાણી મળે રહે તે માટે યોજના શરુ કરવામાં આવી છે .જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં વધારાનું જે પાણી વહી જાય છે તે તેમજ નર્મદા ડેમમાં જે પાણી સગ્રહ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ. આ પાણી અલગ અલગ તળાવો અને ડેમોમાં છોડવામાં આવે છે જેથી ખેડૂતોને સિચાઈનું પાણી મળી રહે છે અને પીવાના પાણીની સમસ્યા પણ દુર થાય છે. ત્યારે બોટાદના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મત્રી સૌરભ પટેલના પ્રયાસ થી બોટાદના કુષ્ણસાગર તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે આ પાણી આવતા શહેરના કુવાના, ડારના તળોવો ઉચા આવશે તેમજ આજુબાજુના ખેડૂતોને સિચાઈ માટે પાણી મળશે, જેના કારણે પાકને ફાયદો થશે .સૌરભ પટેલે કહ્યું છે કે, અમે વચન આપીએ છીએ તે પૂરું કરીએ છીએ અમે વચન આપ્યું હતું કે કુષ્ણસાગર તળાવ બારેમાસ ભર્યું રહેશે જે આજે વચન પૂરું કર્યું છે અને પાણી છોડ્યું છે
