Skip to main content
Settings Settings for Dark

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે.

    BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે.

    વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે.

    પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, BIS અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો માટે ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગના ધોરણો, નિયમો અને શ્રેષ્ઠ પ્રથાઓની સમજ અને જાગૃતિ વધારવાનો હતો.

    કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) ના માનનીય સચિવ શ્રી મનસુખ સાવલીયાના સ્વાગત પ્રવચનથી થઈ. શ્રી મનસુખ સાવલીયાએ આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સમગ્ર ક્ષેત્રમાં ગુણવત્તા માનકો અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો.

    BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ સુમિત સેંગરે ઉદ્ઘાટન ભાષણ આપ્યું. શ્રી સુમિતસેંગરે પોતાના ભાષણમાં, કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યોની રૂપરેખા આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોનું ઉદ્યોગ પાલન સુનિશ્ચિત કરવા માટે BIS ની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે ભાર મૂક્યો કે પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગમાં ગુણવત્તા, સલામતી અને ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવી જાગૃતિ પહેલ કેવી રીતે મહત્વપૂર્ણ છે.

    BIS ખાતે ઉપનિદેશક અને વૈજ્ઞાનિક સી અજય ચંદેલે BIS પ્રવૃત્તિઓ અને ખાસ કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા ધોરણોની ઊંડાણપૂર્વક ઝાંખી આપી. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિદેશક/વૈજ્ઞાનિક ડી. એ BIS લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને ઉત્પાદન ધોરણો જાળવવા અને ગ્રાહક સલામતી સુનિશ્ચિત કરવામાં ગુણવત્તા નિયંત્રણ આદેશોની ભૂમિકા સમજાવી.

    કાર્યક્રમ દરમિયાન એક ઓપન હાઉસ સત્ર પણ યોજાયું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ સુમિતસેંગર, BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા.

    કાર્યક્રમનું સમાપન ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) દ્વારા આભારવિધિ સાથે થયું, જેમાં કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા તમામ વક્તાઓ, સહભાગીઓ અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

    આ ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમ ગુણવત્તા માનકો, પાલન અને ઉત્પાદન પદ્ધતિઓમાં નવીનતા પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપીને પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટે BIS અમદાવાદના પ્રયાસોને રેખાંકિત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply