ભારે વરસાદ વચ્ચે મુંબઈ તરફ જતા મુસાફરો માટે ગુજરાત એસટીની વિશેષ બસ સેવા
Live TV
-
વરસાદી આફતમાં પ્રજ્જનો ની પડખે ઉભા રહીને એસટી તંત્રએ જનસેવાની ઉત્કૃષ્ટતા દર્શાવી
મુંબઈ માં ભારે વરસાદ ને કારણે ગુજરાત થી મુંબઈ તરફ ના રેલ્વે વ્યવહાર ને અસર પહોંચી છે..આ સંજોગો માં રેલ્વે માર્ગે મુંબઈ તરફ જતા મુસાફરોને રસ્તા માર્ગે મુંબઈ જવાની સહાયતા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી તંત્ર દ્વારા સુરત અને વલસાડ રેલ્વે સ્ટેશન થી બોરીવલી ની વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે ગુજરાત એસ ટી એ તાજેતર ના વાયુ વાવાઝોડા ની વિપદા માં અનેક નાગરિકો યાત્રિકો ને ઊંચાંણ વાળા સલામત સ્થળે પહોંચાડવાની પ્રસંશનીય સેવાઓ બાદ આ વરસાદી આફત માં પણ પ્રજ્જનો ની પડખે ઉભા રહીને એસ ટી તંત્ર એ જનસેવા ની ઉત્કૃષ્ટતા દર્શાવી છે
