ભાવનગરઃ પ્રધાનમંત્રીના હસ્તે 26 ફેબ્રુઆરીના રોજ થશે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Live TV
-
ભાવનગરઃ પ્રધાનમંત્રીના હસ્તે 26 ફેબ્રુઆરીના રોજ થશે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ તેજીથી આગળ વધી રહ્યો છે. જેમાં ખાસ પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે દેશના વિકાસને વધુ વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજ આગામી 26 તારીખે દેશના રેલવે સ્ટેશનો, અંડર અને ઓવરબ્રિજના પુનઃ નિર્માણની રૂ.40,000 કરોડની યોજના દેશને સમર્પિત કરશે. વિકસિત ભારત ના સંકલ્પ સાથે દેશના અત્યાધુનિક અને સુવિધાસભર રેલવે સ્ટેશનો કેવા હોય એટલે કે આ યોજના હેઠળ તૈયાર થનારા રેલવે સ્ટેશનો કેવા હશે તે પણ રજૂ કર્યા છે.
આ યોજનામાં ભાવનગર પશ્ચિમ રેલવે ડિવિઝનના 400 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર થનારા 9 સ્ટેશનો છે. જેમાં ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જૂનાગઢ રેલવે સ્ટેશનનું પુનઃ નિર્માણ અંતર્ગત ખાતમુહૂર્ત તેમજ 10 અંડરબ્રિજનું લોકાર્પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. જેમાં ખાસ સોમનાથ સ્ટેશનને સોમનાથ જ્યોતિર્લિંગ થીમ પર નવું રૂપ આપવામાં આવશે. રેલવે સ્ટેશનના આધુનિકરણ અને સુવિધાસભર બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથેની આ પરિયોજના માં વિશ્વસ્તરીય રેલવે સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે જૂનાગઢ ખાતે પુનઃનવનિર્માણ થનાર રેલવે સ્ટેશનમાં વર્લ્ડ કલાસ બિલ્ડીંગ ની સાથે સાથે લિફ્ટ, સ્લેકેટર, AC વેઇટિંગ રુમ, વૃદ્ધ અને દિવ્યાંગો માટે બેટરી સંચાલિત વાહનો, વાઈ ફાઈ સુવિધા, સીસીટીવી સિસ્ટમ, જેવી પૂરતી સુવિધાઓ નું નિર્માણ કરવામાં આવશે. જેથી આવનારા સમયમાં રેલ યાત્રીઓનો અનુભવ એક અલગ પ્રકારનો હશે.