મંત્રી કૌશિક પટેલે જળસંચય અભિયાનમાં જોડાવા લોકોને કરી અપીલ
Live TV
-
કૌશિક પટેલે ગુજરાત સ્થાપના દિન અવસરે સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં જોડાવાનો સૌ પ્રજાજનોને અનુરોધ કર્યો હતો.
મહેસૂલ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી કૌશિક પટેલે ગુજરાત સ્થાપના દિન અવસરે સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં જોડાવાનો સૌ પ્રજાજનોને અનુરોધ કર્યો હતો.
ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પાણીની ક્ષમતા વધારવા માટે તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું સમારકામ જેવા જળસંચયના કામો કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા વરસાદી પાણીનો મહત્તમ જળસંગ્રહ થાય અને લોકોમાં જળ સંચય અંગેની જાગૃતિ કેળવાય તે માટે લોકભાગીદારીથી ગ્રામ્ય તળાવો ઊંડા કરવાનું અભિયાન હાથ ધરાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરત શહેર જિલ્લામાં 12 કરોડના ખર્ચે 2100 જેટલા નાના - મોટા જળસંચયના કામો કરાશે. આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જોડાશે.
